ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં.
અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે.
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આવે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
કેટલાક લોકોએ અંગ્રેજોની જેમ મધ્યરાત્રીથી જ નવવર્ષની શુભકામનાઓ આપવાનું શરું કરી દીધું. પણ ગુજરાતીઓનું નવુવર્ષ સૂર્યોદયથી પ્રારંભ થાય છે, મધ્યરાત્રીથી નહીં.
માધવસિંહ સોલંકીએ એક સમાજને બીજા સમાજ સાથે લડાવીને ૧૪૯ બેઠક મેળવેલી. ગુજરાતની અસ્મિતા પર આ બહુ જ મોટું કલંક હતું.
નરેન્દ્રભાઇએ એક સમાજને બીજા સમાજ સાથે જોડીને આ કલંક આજે ધોઇ નાખ્યું.
જય જય ગરવી ગુજરાત.
આજે ગરબામાં બોલીવુડના ગીતો વાગે છે, ત્યારે અમદાવાદમાં એક સંસ્થા એવી પણ છે જે ફક્ત સંસ્કૃતમાં ગરબાનું આયાજન કરે છે.
અમદાવાદ સંસ્કૃત એકેડમી તથા સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દર વર્ષે સંસ્કૃતભાષામાં ગરબાનું આયોજન કરે છે.
આપણા પારંપરિક ગરબાને હજી સાચવી રાખ્યા છે.
ગુજરાતી સાહિત્યનો આનંદ લેવા માટે અમે નક્કી કર્યું છે કે દર મહિને કમ સે કમ એક વાર અલગ અલગ પુસ્તકોની ચર્ચા કરીશું. જેથી નવી પેઢીને આપણા સાહિત્ય વારસાનું જ્ઞાન મળે અને જૂની પેઢીને યાદો વાગોળવા મળે.
આજે બકોર પટેલની વાર્તાઓની ચર્ચા કરીશું. મળીએ રાતે ૯ વાગ્યે
ગુજરાતીભાષામાં વેદનો અનુવાદ કરનાર શ્રી દયાળમુનિજીને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો.
તેમણે અથાક પરિશ્રમ કરીને ચારે વેદનો ગુજરાતીભાષામાં અનુવાદ કર્યો છે.
ઋગ્વેદ ૪ ભાગમાં, સામવેદ અને યજુર્વેદ એક એક ભાગ અને અથર્વવેદ ૨ ભાગ - એક કુલ ૮ ભાગમાં તેમણે વેદ અનુવાદિત કર્યા છે.
તેમને અભિનંદન.
સિદ્ધારાજ જયસિંહના સામ્રાજ્યનો નકશો
સપાદલક્ષ એટલે આજનું અજમેરની આસપાસનો વિસ્તાર
વર્તમાન ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોનો સમાવેશ તેમના સામ્રાજ્યમાં થતો હતો.
સંદર્ભ - ચક્રવર્તી ગૂર્જરો - કનૈયાલાલ મુનશી
શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને કચરો વાળવાના કામે લગાડી દીધા
અમદાવાદમાં હાથીજણ પાસે આવેલી વિવેકાનંદનગર ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1માં શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાવી. શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને
હોળીદહન ક્યારે કરવું? સોમવારે કે મંગળવારે?
સોમવારે ઉદિત તિથિ ચતુર્દશી છે અને બપોરે ૪.૧૭ પછી પૂનમ બેસે છે. મંગળવાર સાંજ સુધી પૂનમ છે, એટલે પંચાંગમાં પૂનમ મંગળવારની લખેલ છે. એટલે લોકોમાં મૂંઝવણ છે કે હોળી ક્યારે પ્રગટાવી?
આ અંગે મધ્યકાલીન ગ્રંથ ધર્મસિંધુમાં નિયમો આપેલા છે.
સોમનાથ બાદ હિંદુઓને વધુ એક ધર્મસ્થાન પરત મળ્યું.
જોગસાંજોગની વાત એ છે કે સોમનાથ અને અયોધ્યા - બન્ને સ્થળે મંદિર બનાવનાર રાજનેતાઓ ગુજરાતી હતા.
બન્ને સ્થળે મંદિર બનાવનાર શિલ્પકાર ગુજરાતી હતા.
#JaiShriRam
#JaiShreeRam
દિવાળી અને બેસતાવર્ષ વચ્ચે પડતર દિવસ કેમ આવે છે?
તેનું કારણ છે, પંચાંગ ગણિત.
સામાન્ય રીતે ઉત્સવ નક્કી કરવા માટે સૂર્યોદય સમયે જે તિથિ હોય, તે સ્વીકારવામાં આવે છે.
પણ દિવાળી માટે નિશીથ વ્યાપિની અર્થાત્ રાતની તિથિ લેવાય છે.
વાનર શબ્દનો અર્થ છે - વનમાં રહેનાર. મહર્ષિ કપિ કરીને એક મંત્રદૃષ્ટા ઋષિ થઈ ગયા, જેમના વંશજો કપિ કહેવાયા.
આજ વંશમાં હનુમાનજી નો જન્મ થયો. સમય જતા નાટકોમાં અતિશયોક્તિ રસને કારણે વાનરનો અર્થ વાંદરો એમ કરીને હનુમાનજીને વાંદરા તરીકે કલ્પી લેવામાં આવ્યા. #હનુમાનજયંતિ
સહજાનંદ સ્વામીએ ઘણાં સારાં કામ કર્યા છે. પરંતુ તેમના સંપ્રદાયમાં જે પાખંડ હતું તેની પર સર્વપ્રથમ પ્રહાર મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કરેલો.
પોતાના ગ્રંથ “સત્યાર્થ પ્રકાશ”ના ૧૧માં સમુલ્લાસમાં માં તેઓ લખે છે કે સહજાનંદ સ્વામીના અવસાન પછી તેમના ચેલાઓએ બહુ પાખંડ ચલાવ્યું.
સરદારનું એક યોગદાન સહુથી અગત્યનું છે - તે છે દેશી રાજ્યોના વિલીનીકરણનું.
પણ આ કામ પાછળ સરદારે જે મહેનત કરી છે, તેની ચર્ચા ઇતિહાસમા જોવા જ મળતી નથી. ફક્ત એટલું લખીને છોડી દેવામાં આવે છે કે સરદારે ૫૬૨ રજવાડાંને ભારતમાં ભેળવી દીધા.
પણ આ કેવી રીતે થયું? ચલો થોડું જાણીયે.
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી-
વિસરાતું જતું પાનેતર અને ઘરચોળું
સૌરાષ્ટ્રમાં લગ્નસમયે દીકરીઓ પાનેતર પહેરતી અને ગુજરાતમાં ઘરચોળું. સફેદ રંગના પાનેતરમાં લાલ કિનારી હોય. ઘરચોળું લાલ,લીલા,પીળા એવા વિવિધ રંગોનું આવતું.
આ પારંપરિક વસ્ત્રોમાં ગુજરાતી કન્યાનું રૂપ શું ખીલતું હતું, એની વાત ના પૂછો
શું તમે કોઇ દિવસ વિચાર્યું છે કે ગંગા નદીનું નામ ગંગા જ કેમ પડ્યું? યમુના નદીનું નામ યમુના કેમ પડ્યું? આ નદીઓને બીજા પણ કોઇ નામે ઓળખી શકાય તેમ હતી, પણ પૂર્વજોએ આ જ નામ કેમ આપ્યું?
આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે નિરુક્તનું અધ્યયન કરવું પડે. મહર્ષિ યાસ્ક રચિત નિરુક્ત એક વેદાંગ છે.
આજકાલ ચૈત્ર સુદ એકમને હિંદું નવવર્ષ તરીકે ચીતરવાનો ધારો ચાલી રહ્યો છે.
હિંદુધર્મમાં કોઇ એક તિથિને નવવર્ષ માનવામાં ક્યારે પણ આવી નથી.
ગોપથ બ્રાહ્મણમાં વૈદિક સંવત્સરનો પ્રારંભ ફાગણની પૂનમ - હોળીથી માનવામાં આવ્યો છે.
વેદાંગ જ્યોતિષમાં મહા મહિનાથી વર્ષારંભ મનાયો છે.
આજે ગુજરાતના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ છે.
આમ તો તેમના યોગદાન વિશે પાના ભરીને લખીયે તો પણ ઓછું પડે. પણ આજે તેમના ત્રણ કાર્યોની વાત કરવી છે, જેને માટે ધર્મ સદા તેમનો ઋણી રહેશે.
આજકાલ એક નવું તૂત ચાલ્યું છે - અમદાવાદ અને કર્ણાવતી બન્ને અલગ નગર હતા.
આ તૂત ચલાવનાર એ ભૂલી જાય છે કે, કર્ણાવતીને તોડીને જ અત્યારના અમદાવાદનું નિર્માણ અહમદશાહે કરાવ્યું હતું.
અમદાવાદ અને કર્ણાવતી - બન્ને નામ એક વિચારધારાનું પ્રતીક છે.
પહેલા ગામમાં છાસવારો થતો. એક જ ફળિયામાં અલગ અલગ લોકો અલગ અલગ દિવસે છાસવારો કરતા, જેથી ફળિયામાં એક જ દિવસે વધારે છાસ ના બની જાય અને બાકીના દિવસે પણ બધાને છાસ ઉપલબ્ધ બને. જેના ઘેર છાસવારો હોય ત્યાં બાળકો લોટો લઇને પહોંચી જતાં. શુદ્ધ માખણીયા છાસ લોટો ભરી ભરીને ફળિયામાં વહેંચાતી.
ગુજરાતી પત્રકારોને શું કહેવું? આંજણા ચૌધરી સમાજે સુધારાને લગતા ૨૧ નિર્ણયો લીધા.
તેમાં અફીણના વ્યસનને રોકવાનો નિર્ણય પણ હતો. લગ્ન અને મરણ પ્રસંગે લોકો વ્યર્થમાં ખોટા ખર્ચા કરે છે, તેને રોકવાની વાત પણ હતી.
પણ પત્રકારોએ 'દાઢી ન રાખવાના' નિયમ સામે ગામ ગજવ્યું. આ રીતે પત્રકારી કરશો?
હોળીદહન - શું કરવું અને શું નહીં?
વૈદિક આર્યો નવો પાક લણાઇ જાય ત્યારે નવા ધાન્યનો હોમ કરીને સસ્યેષ્ટિ યજ્ઞ કરતા, તેનું જ વર્તમાન સ્વરૂપ એટલે હોળી. પૌરાણિક સમયમાં તેની સાથે પ્રહ્લાદ અને સિંહિકાનું કથાનક જોડાયું અને સમય જતાં તેનું મૂળ સ્વરૂપ પણ બદલાયું.
દિવાળી અને ફટાકડાં
દિવાળી પર દારુખાનું ફોડવું જોઇએ કે નહીં, એ વિષય પર આજે બહુ જ ચર્ચા ચાલી રહી છે.
કેવલ હિંદુ ઉત્સવો પર જ્ઞાન વહેંચવા માટે ન્યાયાલયોની વાજબી ટીકા પણ કરવામાં આવી છે.
આજકાલ એવો ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે કે દિવાળી પર ફટાકડા ફોડવાં - એવું શાસ્ત્રોમાં લખ્યું છે.
૨૫ વર્ષે પોતાના નિર્ણય જાતે લેવાના અધિકારની સમજ છે. પણ માતાપિતા અને સમાજ પ્રત્યે તમારી જે ફરજ છે તેનું શું?
અધિકારોની વાતો બધા ગળા ફાડી ફાડીને કરે છે અને જવાબદારીની વાત આવતા બધા મૌન સાધી લે છે.
કેમ?
સિદ્ધરાજ જયસિંહનું પાટણ
ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહ ફક્ત મહાન વિજેતા જ ન હતા, ભવ્ય ઇમારતોના સર્જક પણ હતા. મહાલયો, મંદિરો, જળાશયો જેવા ભવ્ય બાંધકામો તેમણે કરાવ્યા.
તેમણે બંધાવેલા દેવાલયના શિખરો 'સૂર્યના અશ્વની ગતિને પણ સ્ખલિત કરે'.
જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ
જ્યાં જળભર સરિતા સરતી એવી ગુર્જરી માની ધરતી
જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ
આપ સહુને ગુજરાત રાજ્ય સ્થાપનાદિનની શુભેચ્છા.
अंग्रेज़ी शब्दों का उपयोग किए बिना गुजरात का कोई भी व्यक्ति सिर्फ़ 10 मिनट शुद्ध गुजराती में बोल ले! जिस दिन ऐसा हो गया, अखबारों में से अंग्रेज़ी शब्द गायब हो जाएंगे।
૧. સ્ત્રીઓને હંમેશા એવા પુરુષો ગમે છે કે જે પોતાની લાગણીઓ સરસ રીતે દર્શાવે અને તેની લાગણીસભર સંભાળ લે. તો સામે પક્ષે પુરુષોને એવી સ્ત્રીઓ ગમે છે જે, કે જે લાગણીઓનો ગૂંચવાડો ઊભો ન કરે!
૨. દંપતીઓ વચ્ચે થતાં ૭૦ થી ૮૦% સંવાદો નકારાત્મક, ચિંતા કરાવનારા અને મૂડ બગાડનારા હોય છે.
ખોટી માન્યતા કેટલી રૂઢ થઇ જાય છે! કોઈ પણ પ્રાચીન શબ્દકોશમાં વાક્બારશ શબ્દ જ નથી.
વાઘબારશ જ સાચો શબ્દ છે.
ભગવદ્ગોમંડલ મુજબ વાઘબારશના રોજ, વાઘના સ્વરૂપવાળા દૈત્યનો નાશ કરવામાં આવ્યો હતો. એટલે વાઘબારશ નામ પડ્યું.
વાક્બારશ શબ્દ થોડા વર્ષોથી જ ચલણમાં છે, જે બુદ્ધિજીવીઓની ઉપજ છે.
સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મભૂષણ સન્માન મળ્યું એ જાણીને આનંદ થયો. અમારા વૈચારિક ઘડતરમાં બે સ્વામીઓનો મોટો ભાગ છે - સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્વામી સચ્ચિદાનંદજી.
ગુજરાતી સાહિત્યક્ષેત્રે પણ સચ્ચિદાનંદજીએ ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે આપ સદા સ્વસ્થ રહો તેવી પ્રાર્થના.
આજે અણુ અને પરમાણુની વાત નીકળે એટલે મહર્ષિ કણાદની ચોક્કસપણે યાદ આવે.
મહર્ષિ કણાદ પ્રોક્ત વૈશેષિક દર્શન એ સનાતનધર્મ ના છ આસ્તિકદર્શન પૈકી એક છે.
દ્રવ્યોના વિશેષ ગુણનું વર્ણન કરતું હોવાને કારણે તેને 'વૈશેષિક દર્શન' ના નામે ઓળખવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાહમાં હવે અગ્નિસ્થાપન કરવામાં આવતું નથી. વરકન્યા તેમના સંપ્રદાયના ગુરુની મૂર્તિની આસપાસ ફેરાં ફરે છે.
આવા વિવાહના કેટલાક ચલચિત્રો યુટ્યુબ પર પણ છે.
આ પ્રકારે વિવાહ કરવાની પદ્ધતિ કઇ સ્મૃતિમાં લખેલ છે?
આ કોઈ સામાન્ય ઘટના નથી.
ગુજરાતમાં ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાની માગણી કરવા બદલ એક ગુજરાતીને રાજીનામું આપવું પડે છે.
શું ગુજરાતી બોલવું ગુનો છે?
અધૂરો ઇતિહાસ - મુસ્લિમ સેનાના હાથે પોતાના શિયળની રક્ષા કરવા માટે ચિત્તોડની ૧૩૦૦૦ સ્ત્રીઓ એ જૌહર કર્યું હતું.
પોતાનાં સ્વમાનની રક્ષા કરવા માટે મહારાણી કર્ણાવતીના નેતૃત્વમાં પોતાની જાતને અગ્નિમાં હોમી નાંખી.
આ મહાન સ્ત્રીઓને નમન છે.
મરાઠી લોકો ગુજરાતી અસ્મિતાનું અભિન્ન અંગ છે. મહારાજા ગાયકવાડ, ગણેશ માળવંકર, કાકા સાહેબ કાલેલકર જેવા સવાઈ ગુજરાતીઓ એ ગુજરાતને સમૃદ્ધ કર્યું છે.
ભારતભક્તિ દેશવિદેશ
ન જેની ઊભરાતી
એ તે કેવો ગુજરાતી
महाराष्ट्र के .
@CRPaatil
गुजरात भाजपा अध्यक्ष है। भाजपा को अपना अध्यक्ष बनाने के लिए एक भी गुजराती नहीं मिला? लोग कहते हैं, ये केवल अध्यक्ष नहीं, गुजरात सरकार यही चलाते हैं। असली CM यही हैं। ये तो गुजरात के लोगों का घोर अपमान है
भाजपा वालों, गुजरात को गुजराती अध्यक्ष दो
સિદ્ધરાજે પાટણની જે શક્તિ અને સત્તા ઉભી કરી હતી તેમાં કુમારપાળના સમયમાં ધીરેધીરે ને અદીઠપણે નિર્બળતાનો સંચાર થઇ રહ્યો હતો. હેમચંદ્રવાળા જૂથે આપેલી અહિંસાની સલાહને કારણે ગુજરાતનું લશ્કરી બળ ઘટ્યું. નાગભટ બીજા પછી મિહિરભોજે ભારતને સશક્ત સામ્રાજ્ય આપ્યું હતું.
આજકાલ લોકોને વિવિધ પ્રકારની ‘ચાટ’ ખાવી ગમે છે.
ગુજરાતીભાષામાં ચાટ શબ્દનો એક અર્થ થાય છે - કૂતરાને ખાવાનું નાખવાનું પાત્ર
જે પત્થર કે માટીનાં પાત્રમાં શ્વાન માટે ભોજન/દૂધ નાખવામાં આવે તેનું નામ - ચાટ
પહેલાં પોળમાં સાર્વજનિક ચાટ રહેતી.
વર્તમાનમાં આ નિયમ લાગું પડશે કારણ કે સોમવારે પ્રદોષ સમયે પૂનમ છે પણ મંગળવારે પ્રદોષ સમયે પૂનમ નથી. ભદ્રા પણ સોમવારે મધ્યરાત્રી બાદ સવારે ૫ વાગ્યે સમાપ્ત થાય છે.
એટલે સોમવારે સાંજે જ હોળી પ્રગટાવાની થાય.
આપણા પૂર્વજોએ કેટલું ઝીણું કાંત્યું છે!
બંગાળના મુખ્યમંત્રી ગુજરાત પાસેથી સીખે
૨૦૨૧માં સુરતમાં એક અઢી વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી. ફક્ત સાત દિવસમાં પોલિસે ચાર્જશીટ/આરોપ દાખલ કર્યા. અને ફક્ત ૨૧ દિવસની અંદર ન્યાયાલયનો ચુકાદો આવ્યો.
ગુજરાત મોડલ આ છે!
ચિત્તોડમાં ત્રણ જૌહર થયા છે. પહેલું જૌહર ખિલજી સામે મહારાણી પદ્માવતીએ કર્યું.
બીજું જૌહર બહાદુર શાહ સામે રાણી કર્ણાવતીએ કર્યું. રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલીને ભાઈ બનાવ્યો અને રક્ષણ માંગ્યું.
પણ એક મુસલમાન અને કાફર વચ્ચેના યુદ્ધમાં કાફરનો સાથ આપવો ધર્મવિરુદ્ધ હતું.
ગોધરામાં ટ્રેનમાં જીવતા સળગેલા ૫૯ હિન્દુઓનું શું? તેમના પરિવારની વ્યથાનું શું? તેમના પરિવારની આજે શું સ્થિતિ છે, એ વિશે બીબીસી કેમ કશું નથી બોલતી? કેમ ફક્ત એક જ પક્ષને પ્રતાડીત બતાવામાં આવે છે? વાસ્તવમાં તો તે પક્ષ હુમલાવર હતો. તેણે તો આગ ચાંપેલી. આ સત્ય બીબીસી એ કહ્યું?
ફરી વ્યક્તિને દેશના પર્યાય બનાવી દેવાયા. આ સામાન્ય બની રહ્યું છે. જો અલગ મત હોય તો તે રજૂ કરો, સીધો પ્રતિબંધ જ લગાવી દેવાનો? ખબર છે મને ટ્રોલ ગેંગ હમણાં ત્રાટકશે પણ તો પછી ચીનની તાનાશાહી વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. 2 દિવસ પછી આપણે ગણતંત્ર દિવસ ઉજવીશું. જય હિંદ
#BBCDocumentary
વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડમાં માતા સીતા સાચે જ લક્ષ્મણજી પર આક્ષેપથી રહ્યા છે કે લક્ષ્મણજી સીતાના પામવા માટે તેમની સાથે વનમાં આવ્યા છે.
પત્રકારો ભ્રમ ના ફેલાવે તે આવશ્યક છે.
આદિત્ય ગઢવીએ આ ગીતમાં પ્રાણ ફૂંકી દીધા છે. આ ગીત સાંભળીને કાયમ આંખમાં અશ્રુ આવી જાય છે.
જેણે આ ગીત નથી સાંભળ્યું તે યુટ્યુબ પર અવશ્ય સાંભળો - “મહાહેતવાળી”
આ વખતે વરસાદ વિક્રમજનક હતો. અને વરસાદી આયોજન પણ ધન્યવાદને પાત્ર ��ે.
૧૨/૧૪ ઈંચ વરસાદ પડવા છતાં જાનમાલને સામાન્ય નુકસાન થયું. જનજીવન પણ બેત્રણ દિવસથી વધારે પ્રભાવિત નથી થયું. ૨૦ વર્ષ પહેલા પરિસ્થિતિ અલગ હતી.રોડ અને ગટરની સામાન્ય ફરિયાદોને બાદ કરીયે,તો સરકારે ઉત્તમકાર્ય કર્યું છે.
વેદના ઉદ્ધારમાં મહર્ષિ દયાનંદનું યોગદાન
મધ્યકાલ દરમિયાન અમુક ભાષ્યકારો દ્વારા વેદમંત્રોના વિકૃત અર્થ કરવામાં આવ્યા. આ અર્થ એટલા તો અશ્લીલ છે કે, તેને વાંચતા લજ્જા આવે.
જેમ કે વેદનો એક પ્રખ્યાત મંત્ર છે 'ગણાનાં ત્વા ગણપતિં હવામહે'. યજુર્વેદના ૨૩ અધ્યાયનો ૧૯મો મંત્ર છે.
◼️117 खिलाड़ी हिंदुस्तान से पेरिस ओलंपिक गये
• 2 गुजरात से
• 24 हरियाणा से
• 19 पंजाब से
◼️खेलो इंडिया फंड: ₹3074 करोड़
• गुजरात को मिला: ₹606 करोड़ (क़रीब 20%)
• हरियाणा को मिला: ₹96.9 करोड़ (क़रीब 3%)
• पंजाब को मिला: ₹106.2 करोड़ (क़रीब 3.3%)
◼️मेडल लाने
શહેરી નકસલવાદીઓનો એક વર્ગ સમાજના વિવિધવર્ગને એક બીજા સાથે લડાવવામાં જ આનંદ મેળવે છે.
આજકાલ આ જ વર્ગ કર્ણાવતી અને આશાવલના મુદ્દે સમાજમાં વિભાજન કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ૬૦૦ વર્ષ સુધી અહમદાબાદની ઓળખ નીચે આશાવલની હસ્તી દબાઇ રહી,ત્યારે તો તે કશું જ બોલ્યો નહીં.
પત્તલકારો તમને એ નહીં જણાવે કે
સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ ૯ હત્યાના પ્રયાસના, ૪ અપહરણના, ૪ ચોરીના, ૩ હત્યાના એવા કુલ ૩૦ નાનામોટા કેસ ચાલી રહ્યા છે.
આ છે કોંગ્રેસી અને આપત્તિઓના આદર્શ સાંસદ
બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પુરગ્રસ્ત વિસ્તારમાં પૈસાની બેગ લઈને ગરીબોને જે રીતે મદદ કરે છે ! એમણે સલામ છે ! આપને ત્યાં તો ખિસ્સા ભરવામાથી ઉંચા આવે તો ને ! પપ્પુ યાદવ ગમે તે હોય પણ આજે આ કામ દિલ જીતી લે છે !
જેટલા લોકો ધંધો લઈને બેઠા છે એમને ખબર છે કે લગભગ દરેક ક્ષેત્રમાં માણસોની અછત છે. કામ માટે જોઈતા માણસો મળતા નથી.
જે મળે છે, તે કામ કરતા નથી.
મોટી મોટી પદવી/ડિગ્રીઓ ધરાવતો વ્યક્તિ કામ કરવામાં ઠોઠ સિદ્ધ થાય છે.
કામ શિખવાની ધગશ કરતા પૈસા કમાવાની તાલાવેલી વધારે છે.
આજે જે સંસદમાં હુમલો કરાયો …એમા બેરોજગારીની વાત વધારે છે …જે નીલમ પકડાઇ …તે નીલમના અભ્યાસ વિશે તેના ભાઈએ જણાવ્યું કે તેણે BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET પાસ કરી છે. આટલા અભ્યાસ અને તમામ પ્રયાસો છતાં તેને નોકરી ન મળી. તે 42 વર્ષની થઈ ગઈ છે. પરિવારની આર્થિક સ્થિતિ પર